Saturday, November 25, 2006

એક વેશ્યાની ગઝલ - મારે કંઈક કહેવું છે...

(પ્રણયચિત્રો... ...ખજૂરાહો, 2004)

એક વેશ્યાની ગઝલ... હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે... પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે...ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે...! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો... ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે... જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.

વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, "તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી". અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

રામાયણને પડતું મૂકો... આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે... 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?

ખજૂરાહોને લો... શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.

મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ 'કામસૂત્ર'ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે.... આ છે આપણી સાચી સભ્યતા...

આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે...

કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની 'ખોલ દો' હોય કે ચંદ્રકાંત બક્ષીની 'કુત્તી' હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, 'સ્તનપૂર્વક'. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે...

અને અંતે 'જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે' એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે... આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે....

...અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.

12 Comments:

At 11/26/2006 02:32:00 AM, Anonymous Anonymous said...

અહીં, રાધિકાજી ની વાત યોગ્ય લાગે છે.

વિવેકભાઇ આપનો ખુલાસો પણ વ્યાજબી છે. અંગોનુ વર્ણન તો શૃંગારરસ કવિતાઓમાં હોય છે.

ગણિકાની મનોવ્યથાની ગઝલ માટે ફરી અભિનંદન.

 
At 11/26/2006 03:54:00 AM, Anonymous Anonymous said...

વિવેક,

હું તારા વિચારો સાથે સહમત છું

મીના

 
At 11/26/2006 04:37:00 AM, Blogger Bharat Pandya said...

I have neither found your Gazal objectionable nor found anything to comment.Sex is important part of life but authors amd painters have tendency to slip into vulgarity. There is a thin line of difference . If you have right to express your views , people have right their opinion. Do not be disturbed . You have tyo accept Bricks with bouquets. Keep on writing.
And another thjing any Gazal with needs to be explained is an incomplete Gazal. The gazal should be self explanatory.
BHARAT PANDYA

 
At 11/26/2006 05:03:00 AM, Anonymous Anonymous said...

Vivekbhai
It seems the thing are going in circles. What I like the most is your original objective in your words and in particular the last line!

શબ્દો એ મારું સાચું અસ્તિત્વ. જાણે મારા શ્વાસ. મારા શબ્દો અને એ રીતે મારા શ્વાસ લઈને નિયમિત રીતે મિત્રોને મળતા રહેવાની ખ્વાહિશ સાથે આ બ્લોગની શરૂઆત કરી રહ્યો છું. મિત્રોના પ્રતિભાવોની, પછી એ તમારા સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરા હોય, સદૈવ પ્રતીક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.

Jut do what your soul says... If you are happy with your poem (either as an experiment or as a keen emotional need) then nothing should deter you to change your beliefs or expressions, at least in theory.

 
At 11/26/2006 05:44:00 AM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઈ,

પ્રાચીનકાળમાં આપણી સંસ્કૃતિ-સમાજ કેટલો મુક્ત અને નિર્દંભ હતો. જ્યારે અત્યારે આપણે સૌથી વધારે દંભી છીએ... અને એ દાંભિકતા જ સમાજમાં સડો પેદા કરે છે, મુક્તતા નહીં. 'શાહમૃગ' વૃત્તિ ફ્ક્ત આપણાં સમાજમાં જ જોવા મળે છે...

--જયદીપ.

 
At 11/26/2006 06:07:00 AM, Anonymous Anonymous said...

મારી માન્યતા મેં રજુ કરી. એ હક્ક મેં વાપર્યો.
બસ એટલું જ.

 
At 11/26/2006 08:05:00 AM, Anonymous Anonymous said...

પ્રિય વિવેક,
100% તમારી વાત સાથે સહમતિ છે...
આટલી બધી માહિતિ માટે ખૂબ ખૂબ આભાર...

તમારી વાત એકદમ સાચી છે... અત્યારે આપણો દેશ પશ્ચીમની સંસ્કૃતિ પ્રત્યે ખેંચાઇ રહ્યો છે એનું કારણ પણ આપણો જાતિયતા જેવી પ્રાકૃતિક અને સહજ ક્રિયા પ્રત્યેનો ઢાંકપિછોડો અને એને દુષણ તરીકે ચિતરનાર આપણી જ પેઢી છે.

અને રાધિકાએ કહ્યું એમ કે એક ગણીકાની વ્યથાના એ ભાવને સમજવાને બદલે લોકોએ વાત બીજે જ પાટે ચડી ગઇ...

અંતે પંચમભાઇ કહ્યું એમ તમે બસ તમારા શબ્દોનાં શ્વાસો લઇને આવતાં રહો...

 
At 11/26/2006 08:43:00 AM, Blogger વિવેક said...

એક ખુલાસો કરી લઉં. શ્રી સુરેશભાઈ એ નેટ-જગતના મારા સૌથી આદરપાત્ર મિત્ર છે અને હું એમને મારા પિતાના સ્થાને જ ગણું છું. મને વાંધો પડે ત્યારે હું ખુલ્લેઆમ કોઈ ડર રાખ્યા વિના લડી શકું તો એ માત્ર સુરેશભાઈની સાથે જ શક્ય છે. છાંયડો વડ જ આપી શકે. પણ એમના જેવા સુશિક્ષિત વડીલ જાતીયતાને આભડછેટ તરીકે જુએ એ મને ગમ્યું ન હોવાથી જ આ ખુલાસો કર્યો. સુરેશભાઈ અમારી સાથે લયસ્તરોની ટીમમાં અમસ્તા જ નથી આવ્યા. એમના આશીર્વાદ અને અધિકારને હું કદી નકારી શકું નહીં. આ ખુલાસો કદાચ એમના માટે નથી, આપણા બધાના માટે છે...

રામાયણની પૂરક માહિતી મેં ક્યાંથી મેળવી છે એનો ઉલ્લેખ ત્યાં કરી જ દીધો છે. એટલે ભૂતકાળમાં વાંચેલા રામાયણના શ્લોકો સર્ગ, ઉપસર્ગ સહિત યાદ હોવાનો ડોળ ન જ કરી શકું.

...ભરતભાઈ અને પંચમભાઈની વાત સાથે પણ સહમત છું. કવિએ જો કવિતાનો ખુલાસો કરવો પડે તો એ કવિતા અપૂર્ણ ગણાય. એ જ કારણથી આનાથી વધુ ચર્ચાયેલ ગઝલ "ત્રીજો કિનારો" વખતે પણ હું મૌન જ રહ્યો હતો અને આ ખુલાસો પણ માત્ર આપણી માનસિકતા પૂરતો જ સીમિત રાખી આખી વાતમાં ગણિકા કે ગઝલને ક્યાંય લાવ્યા વિના અંતે મેં એક જ વાક્ય મારી ગઝલ માટે કહ્યું છે:

"..અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે."

 
At 11/26/2006 07:09:00 PM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

મિત્ર વિવેક,

તમારી કવિતાઓ સરસ જ હોય છે. પરંતુ આ કવિતા માટે હું સુરેશભાઈ સાથે સહમત છું. દરેક વસ્તુ કલમ દ્ધારા રજૂ થઈ શકે છે, પરંતુ કલમકારનાં હાથમાં છે કે એ કલમનો ઉપયોગ કઈ રીતે કરે છે. મને એવુ લાગે છે કે આ જ વ્યથા થોડાક અલગ શબ્દો વડે રજૂ થઈ શકી હોત, અને તમારા જેવા શબ્દોના કારીગર માટે એ અશક્ય તો નથી જ.

આપણે બધા જ જાણીએ છીએ કે "Bandit Queen" કેમ આટલી સફળ ભારતમાં થઈ હતી. Sex ખરેખર સુંદર વસ્તુ છે પરંતુ એટલા માટે એને Grossly રજૂ કરવાનુ જરૂરી નથી. દરેક સુંદર વસ્તુનું જાહેર પ્રદર્શન યોગ્ય તો નથી જ...
આ કવિતા વાંચતા ક્યાક સુરુચી ભંગ થતો હોય એવુ તો લાગે જ છે.

બાકી, તમે ખરેખર સરસ જ લખો છો અને ખેલદિલપૂર્વક કોઈ પણ નેગેટીવ કે ન ગમતા પ્રતિભાવોને હટાવ્યા વગર બહાદુરીથી બ્લોગ પર રજૂ કરો છો એ જીંદાદીલીની વાત છે. કહેવાતા આગળ પડતા બ્લોગરો પાસે પણ આવી ખેલદિલી તો નથી જ.

સિદ્ધાર્થ

 
At 11/27/2006 07:55:00 AM, Anonymous Anonymous said...

Surely society is now different and more "pretentious" than it used to be earlier. Our literature has used the words like "yoni", "kaam", "rati" etc without any hesitation.

But society is also pretending when they say such & such things happened in ramayan so we can do it too, but they don't follow the life of Rama who had only Sita as wife in mind and heart. At that time, they say either Ramayan never existed or Ram was God and we are not.

We all like things partially and that is our pretention.

In the 7 to 10 thousand verses (please correct me) of Ramayan that Valmiki wrote to bring man closer to God, 3 to 4 verses he may have put in the mouth of some people to depict them in certain way, and what we notice today is these 3 to 4 verses and not the rest of thousands of verses.

In Khajuraho - and other temples - what it says is leave the 'lust', the 'kaam' OUTSIDE. that is why all those lustful pictures are OUTSIDE and the GOD is inside. The one who is lustful he will not reach to the divinity that is the message of those temples - but again what message we take is that - our religious forefathers were worshiping sex and they had it in temple too.

Shiva - who had destroyed Kaam - has the form of Ling - is again being related to human Ling - now that does not make sense. If our ancestors wanted to worship Human Ling - why would they attach him to Shiva who had destroyed Kaam? What about Ganga and Third Eye and Snake and everything then?

Where is Valmiki, Ved Vyas or even Vatsayan and where are we? Were they only master of words? How can we compare us to them?

Well, but why should I say all these? everyone has freedom of speech and there is nothing wrong in what you did. It's just a matter of what category this material should go into! Would be nicer to put 'Age 16 & Up' for this poem.

 
At 11/30/2006 06:47:00 AM, Anonymous Anonymous said...

doctor saheb
i always believe in writing whatever my heart feels. prob keeping this in mind u have also posted such a good gazal of prostitute. it is good to have positive and negative comments since atleast these people have interest in your poem. so continue writing. i am here to read ur all poems since i love it and i likeyour writing shaili. good gazal once again and do continue.
pl don't disturb with any comments . manoj

 
At 6/23/2011 03:17:00 PM, Blogger earn money online without investment said...

સેક્સ એ ઉત્પતી નું માધ્યમ છે ..આજે તમે શ્વાસ લઇ રહ્યા છો અને સેક્સ વિષે જે અભિપ્રાય આપી રહ્યા છો એ વડીલો ને કેહવાનું ક તમારી ઉત્પતિ પણ સેક્સ થી જ થઇ છે એ ભૂલાય ના ....
ભલે અંધારા માં કર્યા તમે લાગણી ના ખેલ
કાલે અજવાળા જવાબ માંગશે ..........અણનમ

 

Post a Comment

<< Home